દૂર નહિતર ખૂબ નજરોથી સમંદર નીકળે,
હો તરસ તો આંખમાં આખું સરોવર નીકળે!
માન એ પથને ય આપો જ્યાં તમે ચાલો નહિ,
કોણ જાણે એ જ પથ કાલે બરોબર નીકળે!
એમ લાગે છે બધાને કે મળ્યા છે દુઃખ મને,
પણ ફરો જગમાં તમે, રુદન ઘરોઘર નીકળે!
હાથ ખાલી હોય તેથી સૌ દરિદ્ર હોતા નથી,
દિલ તપાસો તો ઘણા લોકો સિકંદર નીકળે!
કે 'ઉપેક્ષિત' આપ બીજાને ન કરતા આજથી,
સંભવિત છે એક માણસમાં જ ઈશ્વર નીકળે!
@ વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'