#કાવ્યોત્સવ 2

(ભાવના પ્રધાન )

સફર

જિંદગીમાં જ્યારે રમતો રમાય,
દિલના દર્દો ના સહેવાય,
શબ્દોરૂપી પાંખો ફેલાય,
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

વ્યથા ને જ્યારે કથામાં લખાય,
દર્દોને શબ્દોનો શણગાર થાય,
શાહીથી કાગળ પણ ભીનો થાય,
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

વેદનાઓમાં વિષમતા થાય,
સંવેદના પર લીસોટા થાય,
અંતરના ઊંડાણમાં મૃગજળ રચાય, 
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

લાગણીઓની માયાજાળ રચાય,
અસ્તિત્વનું વેરણ ખેરણ થાય,
અંધકારમાં ઉજાસનાં પાથરણા  થાય,
ત્યારે ગીત, ગજલ, કવિતાની રચના થાય.

નવા વ્યક્તિત્વનું સર્જન થાય,
સ્વયં સાથે મુલાકત થાય,
નવા સફરની શરૂઆત થાય,
ત્યારે ગીત, ગજલ,  કવિતાની રચના થાય.

Gujarati Poem by Darshana Hitesh jariwala : 111161124

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now