પાની રે પાની તેરા રંગ કેસા
જીસમે મિલાઓ લગે ઉસ જેસા
મશહૂર કલાકાર મનોજ કુમારની ફિલ્મનું આ ગીત આજના સમયના માનવી પર લાગુ પડતું હોય તેમ લાગે છે. કયો માનવી ક્યારે પોતાનો રંગ બદલી કોની સાથે કેવો થઈ જાય તે સમજાતું નથી. આમતો પૃથ્વી પર રંગ બદલવા માટે કાચીંડો પ્રખ્યાત છે. કાચીંડો પોતાની જરૂરિયાત મુજમ રંગ બદલે છે. પણ તે અન્ય પ્રાણીઓને નીચા બતાવવા કે પછી હેરાન કરવાના આશયથી રંગ બદલતો નથી. પરંતુ આજનો માનવી પોતાના સ્વાર્થ માટે કોઈને નીચા બતાવવા તેમજ કોઈને હેરાન કરી પોતાનું સારું બતાવી આગળ જવા માટે રંગ બદલતો હોય છે. આપણી સામે સારું સારું બોલી બીજાની સામે પોતાના સ્વાર્થ માટે આપણું જ ખરાબ બોલતા આજનો માનવી અચકાતો નથી.
#સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ
#daytime