*** વસંત પંચમી - ઋતુરાજ વસંતનાં વધામણાં ***
.
વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે.
વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ.
વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ.
વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર.
વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ.
અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે.