#AJAnand
# ચંચળ મનનો સરળ સવાલ....
#ગંગાજળ ....
અમારા નજીકના એક કાકા વેકેશનમાં બહાર ફરવા જતા ગયા હતા. ગયા ત્યારે એમ કહેતા ગયા હતા કે, હવે આ જતી ઉંમરે જાણતાં અજાણતાં માં થયેલા પાપો મારે ગંગામાં સ્નાન કરી એમાંથી મુક્ત થવું છે.
ત્યારનો એ પ્રશ્ન મારા મનમાં સળવડતો હતો કે, એમ કરીને મુક્તિ મળવી શક્ય કરી....?
હા કે ના....?
પછી જ્યારે એ કાકા જઈને આવ્યા ત્યારે ઘરે પ્રસાદી અને ગંગાજળ ની બોટલ આપવા આવ્યા હતા. ત્યારે એક કહેતા ગયા કે, લો આ ગંગાજળ છે. એને પવિત્ર જળ કહેવાય છે. મહિનામાં એકાદવાર ઘરમાં છંટકાવ કરી દેવો.
ત્યારે મારા મનમાં એ પ્રશ્ન સળવડતો કે, જે ગંગા નદીમાં એ ખુદ ને એમના જેવા કેટલાય લોકો પાપમુક્તિ અર્થે જાય છે. તો એ જળ પવિત્ર કેમનું થયું....?
બીજું એ પણ કે, એમને બતાવેલ ફોટો માં પણ ગંદકી સાફ દેખાય છે જે લોકો દ્વારા જ ફેલાય રહી છે. જે ગંગા નદી ને તો ખરી જ પણ ત્યાં ના સમગ્ર વિસ્તરને પ્રદુષિત કરે છે. તો એ જળ શુદ્ધ કે પવિત્ર કેમનું કહેવાય....?
એકબાજુ માણસ પોતે ગંગામાં સ્નાન કરી આવી ખુદ ને પાપ માંથી મુક્ત થયો કહે છે. બધા પાપ ગંગામ સમાઈ ગયા. ને બીજી બાજુ એ જ જળ ને પૈસાથી ખરીદી બોટલમાં લઈ આવે છે. અને કહે છે કે, આ પવિત્ર જળ છે ઘર પવિત્ર થઈ જશે.
ને એક વાત તો રહી જ ગઈ, ગંગા ને માતા કહી સંબોધે છે. એની પૂજા અર્ચના કરે છે. એને માન આપે છે. એને ગર્વ ની વાત માને છે કે, આ નદી ભારત દેશમાં છે ને હું એક ભારતીય છું.
તો પછી ત્યાં ગંદગી ના થર, ઢગલે ઢગલા, પગમાં આવતો પૂજાનો સામાન એ બધું શું છે....?
#કોઈની ધાર્મિક લાગણી દુભાય તો દિલથી માફી ચાહું છું.
#સાંઈસુમિરન ....