ઉઠી ચારો તરફથી જે ઘડી જુલમોની આંઘી
શાંતિ નો સંદેશો લઇને આવી ગયા ગાંધી

બન્યા ભારત ભુમિ માટે તેઓ સાચા રાહગીર
એમના જ વ્યક્તિત્વ થી મેળવી આપણે મંઝિલ

થઈ ગઈ પ્રકાશિત અજવાળાંથી હિન્દોસ્તાન ની વાદી
સળગાવી એમણે એવી દિલ મા જ્યોત આઝાદીની

તેમણે અંગ્રેજોના જુલ્મો થી આપણને છોડાવ્યા હતા
સાદાઇ અને શરાફત ના જેમણે રસ્તા બતાવ્યા હતા

દેખાડી રાહ આપણને જે ગૌતમે બતાવી હતી
કહી તે વાત તે ફરી થી જે ઈસા એ બતાવી હતી

તે શાંતિ ના સમંદર હતા મોહબ્બત ના મસિહા હતા
અહિંસાના તે દાઇ હતા તે એકતાના ફરિશ્તા હતા

બોધપાઠ ફરીથી ભણાવ્યો હતો દુનિયા ને ભલાઈ નો
જમાનો આજે પણ ૠણી છે એ સચ્ચાઈ ના મસિહા નો

આપણા હ્રદય ઝગમગાવી દીધા મોહબ્બત ના નુરથી
થયા બેદાર લોકો જેમના માનવતાના પાઠો થી

વતનના આસમાન પર ઝગમગતા એવા સિતારા છે
અમને એ ગર્વ છે દુનિયામાં ગાંધીજી અમારા છે.

✍✍✍

- ફારૂક શેખ પેરા વાળા

#Gandhijayanti
#Gandhi
#rememberinggandhi

Gujarati Shayri by Faruk Shaikh Sufi : 111035692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now