#Kavyotsav
ફરિયાદ
દુઃખ તો ત્યારે થયું
કે જ્યારે તે તારી વેદના
લોકો સુધી પહોંચાડી
પણ મને પૂછ્યું પણ ખરા કે,
બોલ તારી ફરિયાદ શું ?
તારા એ શબ્દોએ જાણે હૈયામાં લગાવી
કટારી
છતાય હસતા પી ગઈ હું
પ્રેમની અટારી
રોજ તને જોવા કરી ખુદને નકામી છતાય તને લાગે
હું બેવફાઈ
પ્રેમે પડી પાંદડી
તોયે ડાળખીમાં હું અટવાઈ
ને તને પામવા
દરરોજ હું સમાજ સાથે અથડાઈ
છતાં તારી ફરિયાદે તો હું નકામી જ ગણાઈ.
- સોનલબા વાઘેલા